...Empowerment and Enlightenment of Womanhood
હવેથી સ્કૂલ શરુ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે શ્રીમતી નંદા જોશી જી અને વડોદરા મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા માંજલપુર, વડોદરામાં તા.22/7/21ના રોજ સરકારશ્રી ની બાળકો માટેની ગાઈડ લાઈનની સમજ મહિલાઓને આપવામાં આવી.
યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ ના સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે સંસ્થાના સાધ્વી બહેનો તથા આ વિસ્તારના મહાનુભાવો શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રી અભેસિંહ તડવી (ધારાસભ્ય) તેમજ શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.