...Empowerment and Enlightenment of Womanhood
કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૭૬ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી મનસુખભાઈ વસાવાએ (સાંસદશ્રી) ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.
વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા અતિ ગરીબ જરૂરીયાતમંદ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
યોગી મહિલા કેન્દ્ર હરિધામ-સોખડા દ્વારા મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે જરૂરિયાતમંદ આદિવાસી અને ગરીબ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.