કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૫૦ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રીજયદ્રથસિંહજીએ ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.
આદિવાસી સમાજની મહિલાઓ તથા બાળકોને માનનીય શ્રીજયદ્રથસિંહજી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા કોવિડ-૧૯ ની ત્રીજી લહેર સામે લડવા માટે ''અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત બિમારીને શરૂઆતના તબક્કે જ ફેલાતી અટકાવવા પ્રાથમિક નિયમો સમજાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.