કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૭૬ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી મનસુખભાઈ વસાવાએ (સાંસદશ્રી) ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.
|