...Empowerment and Enlightenment of Womanhood
અંતરિયાળ વિસ્તારમાં કોવિડ-૧૯ ની જાગ્રતતા ઓછી હોય છે તેથી યોગી મહિલા કેન્દ્ર દ્વારા ડભોઈ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની અને અન્ય સભ્યોની સાથે તા.૨૨/૭/૨૧ના રોજ ''બાળકોમાં કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' ડભોઈ ખાતે રાખવામાં આવ્યું જેમાં ડભોઈ તાલુકાના ૧૭૫ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૭૬ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી મનસુખભાઈ વસાવાએ (સાંસદશ્રી) ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.
યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભક્તિધામ, નેત્રંગ, જી.ભરૂચ મુકામે આ વિસ્તારના શ્રી મનસુખભાઈ વસાવા (સાંસદશ્રી), ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો તથા સંસ્થાના સાધ્વી બહેનોએ ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.