...Empowerment and Enlightenment of Womanhood
બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભક્તિધામ, નેત્રંગ, જી.ભરૂચ મુકામે આ વિસ્તારના શ્રી મનસુખભાઈ વસાવા (સાંસદશ્રી), ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો તથા સંસ્થાના સાધ્વી બહેનોએ ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.
હવેથી સ્કૂલ શરુ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે શ્રીમતી નંદા જોશી જી અને વડોદરા મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા માંજલપુર, વડોદરામાં તા.22/7/21ના રોજ સરકારશ્રી ની બાળકો માટેની ગાઈડ લાઈનની સમજ મહિલાઓને આપવામાં આવી.