...Empowerment and Enlightenment of Womanhood
હવેથી સ્કૂલ શરુ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે શ્રીમતી નંદા જોશી જી અને વડોદરા મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા માંજલપુર, વડોદરામાં તા.22/7/21ના રોજ સરકારશ્રી ની બાળકો માટેની ગાઈડ લાઈનની સમજ મહિલાઓને આપવામાં આવી.
યોગી મહિલા કેન્દ્ર હરિધામ-સોખડા દ્વારા મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે જરૂરિયાતમંદ આદિવાસી અને ગરીબ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.